Mar 22, 2008

યાદ મને કાયમ રહેશે……….

યાદ મને કાયમ રહેશે……….


મને એવું હતું કે હાથ તારો મારા હાથમાં રહેશે,

ફક્ત બે ચાર દિવસ નહીં, તુ કાયમ શ્વાસમાં રહેશે.


તારી સાથે ગાળેલી હર ક્ષણ યાદ મને કાયમ રહેશે.

તારા પ્રેમના ઘૂંટ ઉતરતા કાયમ રહેશે.


તારી સાથે ભરેલા ડગ મને યાદ પ્રૂરા રહેશે,

તારા પગલાંની છાપ મારા દીલ પર કાયમ રહેશે.





– શૈલ્ય

કોણ કહે છે કે હું....

કોણ કહે છે કે હું વિરહની વેદનામા સળગુ છું ?
આતો અમસ્તો જ જરા શરીર તાપુ છું.

કોણ કહે છે કે હું પ્રેમનો તરસ્યો છું ?
આતો અમસ્તો જ મૃગજળ પી રહ્યો છું.

કોણ કહે છે કે હું વસંતની રાહ જોવું છું ?
આતો અમસ્તો જ પર્ણૉ તોડી પાનખર લાવી રહ્યો છું.

કોણ કહે છે કે મને આપના આગમનની આતુરતા છે ?
આતો અમસ્તો જ મેઘધનુષ્યથી આંગણ સજાવી રહ્યો છું.

કોણ કહે છે કે હું મિલનની ઘડીઓ ગણી રહ્યો છું ?
આતો અમસ્તો જ આકાશના તારલા ગણી રહ્યો છું .

કોણ કહે છે કે મને જીંદગી સાથે પ્રેમ નથી ?
આતો અમસ્તો જ મોત સાથે સંતાકુકડી રમી રહ્યો છું .




– શૈલ્ય

Mar 16, 2008

Why "No"

દુઃખ એ વાત નુ નથી કે એમને 'ના' પાડી

વાત એ છે કે એમને અચકાતા અચકાતા 'ના'પાડી

નયને 'હા' પાડવા છતા

તારી નજરે 'ના' પડી

દિલે 'હા' પાડવા છતા

તારા હોઠે મને 'ના' પાડી

મારા પ્રત્યે ના વિસ્વાસે 'હા' પાડી છતા

ઈચ્છાઓ ઘણી હોવા છતા તારા મન

ના ડરે મને 'ના' પાડી

લખવા માગુ છુ ઘણુ બધુ પણ

આ 'પેને' મને 'ના' પાડી

'ના' ભલે પાડી પરંતુ મને

લાગે છે કે 'ના' છુટકે 'ના' પાડી






‘સ્નેહ’ એટલે

દરિયે બેઠા અમે માત્ર શરીરે ઉદતી શીકર ઝીલતાં રહ્યાં,


ને ક્ષિતિજમાં સમંદરમાં ડૂબતો સૂર્ય જોતાં રહ્યાં,


હાથમાં હાથ મૂકી પાણીમાં છબછબિયાં કરતાં રહ્યાં,


ને પછી એમ જ કારમાં બેસી ઘરે આવ્યાં!


બધાં પૂછે: ‘બહુ વાતો કરીને કાંઈ!’,


કેવી રીતે કહું કે,


અમે વિના બોલ્યે લાખો વાતો કરી હતી (!?),


અમે ક્ષિતિજમાં વિસ્તર્યા હતાં ને મૌનમાં ફોર્યા હતાં! (?)





Gargi